HRA અને કાકોરી ટ્રેન લૂંટ (૧૯૨૫)
અસહકાર આંદોલન ના અંત બાદ યુવાનો માં ફરી ક્રાંતિકારી જુવાળ જાગ્યો:
- HRA (Hindustan Republican Association): ૧૯૨૪ માં કાનપુર ખાતે શચિન્દ્રનાથ સાન્યાલ અને રામપ્રસાદ બિસ્મિલ દ્વારા સ્થાપના.
- કાકોરી કાંડ (૯ ઓગસ્ટ ૧૯૨૫): સરકારી ખજાનો લઈ જતી ટ્રેન ને લખનૌ પાસે કાકોરી ખાતે લૂંટવામાં આવી.
- આ કેસ માં રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન, રોશન સિંહ અને રાજિન્દ્ર લાહિરી ને ફાંસી આપવામાં આવી.
HSRA અને ભગત સિંહ
૧૯૨૮ માં દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન માં ક્રાંતિકારીઓ ભેગા થયા અને HRA નું નામ બદલીને HSRA (Hindustan Socialist Republican Association) રાખ્યું.
- મુખ્ય નેતાઓ: ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ, સુખદેવ અને શિવ વર્મા.
- સોન્ડર્સની હત્યા (૧૯૨૮): લાલા લજપત રાય ના મૃત્યુનો બદલો લેવા ભગત સિંહ અને રાજગુરુએ પોલીસ અધિકારી સોન્ડર્સ ની હત્યા કરી.
- ધારાસભામાં બોમ્બ (૧૯૨૯): ૮ એપ્રિલ ૧૯૨૯ ના રોજ ભગત સિંહ અને બટુકેશ્વર દત્તે દિલ્હીની સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી માં બોમ્બ ફેંક્યો. તેમનો હેતુ કોઈને મારવાનો નહીં પણ 'બહેરા અંગ્રેજો ને જગાડવાનો' હતો.
ચંદ્રશેખર આઝાદ નું બલિદાન
ચંદ્રશેખર આઝાદે ક્યારેય જીવતા પકડાવવાની કસમ ખાધી હતી. ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧ ના રોજ અલ્હાબાદના અલ્ફ્રેડ પાર્ક માં પોલીસ સાથેની અથડામણ માં તેમની પાસે છેલ્લી ગોળી બચી ત્યારે તેમણે પોતાની જાતે જ ગોળી મારી શહીદી વહોરી હતી.
ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસી
લાહોર કાવતરા કેસ હેઠળ ૨૩ માર્ચ ૧૯૩૧ ના રોજ સાંજે ૭:૩૩ વાગ્યે લાહોર જેલ માં આ ત્રણેય વીરોને ફાંસી આપવામાં આવી. આ દિવસને ભારતમાં 'શહીદ દિવસ' તરીકે પણ યાદ કરવામાં આવે છે.
સૂર્ય સેન અને ચિત્તાગોંગ આર્મરી રેઈડ
બંગાળમાં 'માસ્તર દા' તરીકે ઓળખાતા સૂર્ય સેન એ ૧૯૩૦ માં ચિત્તાગોંગના શસ્ત્રાગાર પર હુમલો કર્યો અને બ્રિટિશ શાસન સામે કામચલાઉ આઝાદ સરકાર ની જાહેરાત કરી. આ લડતમાં પ્રીતિલતા વાડેદાર અને કલ્પના દત્ત જેવી મહિલાઓએ પણ સક્રિય ભાગ લીધો હતો.