એટલીની જાહેરાત (૨૦ ફેબ્રુઆરી ૧૯૪૭)
બ્રિટિશ વડાપ્રધાન ક્લેમેન્ટ એટલી એ ઐતિહાસિક જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર જૂન ૧૯૪૮ સુધીમાં ભારતને સત્તા સોંપીને વિદાય લેશે.
- આ કાર્ય પૂર્ણ કરવા માટે લોર્ડ વેવેલની જગ્યાએ લોર્ડ માઉન્ટબેટન ને નવા વાઈસરોય તરીકે નિમવામાં આવ્યા.
માઉન્ટબેટન યોજના (૩ જૂન ૧૯૪૭)
ભારતમાં કોમી રમખાણો અને રાજકીય અસ્થિરતા જોતા માઉન્ટબેટને વહેલી સત્તા સોંપણીની યોજના બનાવી, જે '૩ જૂન પ્લાન' તરીકે જાણીતી છે:
- ભારતનું વિભાજન કરી 'ભારત' અને 'પાકિસ્તાન' એમ બે ડોમિનિયન બનાવવામાં આવશે.
- પંજાબ અને બંગાળના ભાગલા માટે સીમા પંચ (Boundary Commission) ની રચના કરવામાં આવશે.
- દેશી રજવાડાઓને પોતાની ઈચ્છા મુજબ જોડાવાની સ્વતંત્રતા આપવામાં આવી.
ભારતીય સ્વાતંત્ર્ય ધારો (૧૯૪૭)
બ્રિટિશ સંસદમાં ૪ જુલાઈ ૧૯૪૭ ના રોજ આ ખરડો રજૂ થયો અને ૧૮ જુલાઈ ૧૯૪૭ ના રોજ તેને શાહી મંજૂરી મળી.
- આ ધારા મુજબ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ ભારત અને પાકિસ્તાન બે સ્વતંત્ર રાષ્ટ્રો બનશે.
- બ્રિટિશ સમ્રાટનો 'ભારતના સમ્રાટ' નો ખિતાબ નાબૂદ કરવામાં આવ્યો.
સીમા રેખા: રેડક્લિફ રેખા (Radcliffe Line)
પંજાબ અને બંગાળના સરહદો નક્કી કરવા માટે સર સીરિલ રેડક્લિફ ના અધ્યક્ષપદે બે સીમા પંચ બનાવવામાં આવ્યા. ૧૭ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ વિધિવત રીતે આ સીમાઓ જાહેર કરવામાં આવી.
૧૫ ઓગસ્ટ ૧૯૪૭: ભારત આઝાદ
૧૪ ઓગસ્ટની મધરાતે જવાહરલાલ નહેરુએ પ્રસિદ્ધ ભાષણ 'ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની' (નિયતિ સાથે મુલાકાત) આપ્યું.
- લોર્ડ માઉન્ટબેટન સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ અને મહમદ અલી જીન્નાહ પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ બન્યા.