પૂર્ણ સ્વરાજનો ઠરાવ (૧૯૨૯)
૧૯૨૯ ના લાહોર અધિવેશનમાં જવાહરલાલ નહેરુ ના અધ્યક્ષપદે 'પૂર્ણ સ્વરાજ' નો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
- ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ ની મધરાતે રાવી નદીના કાંઠે તિરંગો લહેરાવવામાં આવ્યો.
- ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ ને પ્રથમ 'સ્વતંત્રતા દિવસ' તરીકે ઉજવવામાં આવ્યો.
- ગાંધીજીએ વાઈસરોય લોર્ડ ઈરવિન સમક્ષ ૧૧ માંગણીઓ મૂકી, જે ન સ્વીકારાતા 'સવિનય કાનૂનભંગ' (Civil Disobedience) ની શરૂઆત થઈ.
ઐતિહાસિક દાંડી કૂચ (૧૯૩૦)
મીઠાના અન્યાયી કાયદાને તોડવા ગાંધીજીએ દાંડી યાત્રા શરૂ કરી:
- પ્રારંભ: ૧૨ માર્ચ ૧૯૩૦, સાબરમતી આશ્રમ થી.
- ૧૨ માર્ચ થી ૬ એપ્રિલ સુધી કુલ ૨૪૧ માઈલ (૩૮૫ કિમી) નું અંતર કાપ્યું.
- ગાંધીજી સાથે તેમના ૭૮ સાથીદારો હતા.
- ૬ એપ્રિલ ૧૯૩૦ ના રોજ વહેલી સવારે દાંડીના દરિયાકિનારે મીઠું હસ્તગત કરી તેમણે કાયદાનો ભંગ કર્યો અને કહ્યું: "મેં બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં લુણો લગાડ્યો છે."
આંદોલનનો દેશભરમાં ફેલાવો
- ધરાસણા સત્યાગ્રહ: સરોજિની નાયડુ, ઈમામ સાહેબ અને મણિલાલ ગાંધીના નેતૃત્વમાં. અહીં અંગ્રેજોએ કરેલા લાઠીચાર્જનું વર્ણન અમેરિકન પત્રકાર વેબ મિલરે કર્યું છે.
- સરહદના ગાંધી: ખાન અબ્દુલ ગફાર ખાને પેશાવરમાં 'ખુદાઈ ખિદમતગાર' (લાલ ખમીસ) દળ બનાવી સક્રિય ભાગ લીધો.
- સી. રાજગોપાલાચારી: તમિલનાડુમાં વેદરાણ્યમ મીઠા સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું.
ગાંધી-ઈરવિન કરાર અને ગોળમેજી પરિષદ
- ૧૯૩૧ નો ગાંધી-ઈરવિન કરાર: આંદોલન સ્થગિત કરી ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં જવા તૈયાર થયા.
- ગોળમેજી પરિષદો: લંડનમાં ત્રણ પરિષદો યોજાઈ. કોંગ્રેસે માત્ર બીજી (૧૯૩૧) માં ભાગ લીધો. ગાંધીજી 'એસ.એસ. રાજપૂતાના' વહાણ દ્વારા લંડન ગયા હતા, પરંતુ ત્યાં કોમવાદી સીટોના મુદ્દે કોઈ ઉકેલ ન આવતા તેઓ નિરાશ થઈ પરત ફર્યા.
આંદોલનનો બીજો તબક્કો
લંડનથી પરત ફર્યા બાદ ગાંધીજીએ ૧૯૩૨ માં ફરી આંદોલન શરૂ કર્યું, પણ અંગ્રેજોએ દમન નીતિ અપનાવી ગાંધીજીને યેરવડા જેલમાં પૂરી દીધા. ૧૯૩૪ માં આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચવામાં આવ્યું.