૧૮૫૮નો ધારો અને તાજનું શાસન
૧૮૫૭ના વિપ્લવ બાદ બ્રિટિશ પાર્લામેન્ટે 'ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૮૫૮' પસાર કર્યો:
- કંપની શાસનનો અંત: ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન રદ થયું અને સત્તા બ્રિટિશ મહારાણી પાસે ગઈ.
- ભારત મંત્રી (Secretary of State): લંડનમાં ભારતનો વહીવટ જોવા માટે આ નવા પદની રચના થઈ. ૧૫ સભ્યોની 'ઇન્ડિયન કાઉન્સિલ' તેને મદદ કરતી.
- વાઈસરોય: ગવર્નર જનરલ હવે 'વાઈસરોય' કહેવાયો. લોર્ડ કેનિંગ પ્રથમ વાઈસરોય બન્યો.
૧૮૬૧ થી ૧૯૧૯ સુધીના ધારાકીય સુધારા
- ૧૮૬૧ નો કાઉન્સિલ એક્ટ: પોર્ટફોલિયો (ખાતાવાર) વહેંચણી શરૂ થઈ. ધારાસભામાં ભારતીયોને બિન-રહેવાસી સભ્યો તરીકે લેવાનું શરૂ થયું.
- ૧૯૦૯ (મોર્લે-મિન્ટો સુધારા): મુસ્લિમો માટે 'અલગ મતાધિકાર' (Separate Electorate) ની જોગવાઈ થઈ. આ ધારાએ કોમવાદના પાયા નાખ્યા.
- ૧૯૧૯ (મોન્ટેગ્યુ-ચેમ્સફોર્ડ સુધારા): પ્રાંતોમાં 'દ્વિમુખી શાસન પદ્ધતિ' (Diarchy) દાખલ થઈ. કેન્દ્રમાં બે ગૃહોની ધારાસભા બની.
૧૯૩૫નો ભારત શાસન અધિનિયમ
આ સૌથી લાંબો અને ગંભીર દસ્તાવેજ હતો, જે ભારતીય બંધારણનો પાયો બન્યો:
- પ્રાંતોમાં સ્વાયત્તતા: પ્રાંતોમાં દ્વિમુખી શાસન રદ કરીને તેમને સ્વાયત્ત (સ્વતંત્ર) બનાવ્યા.
- કેન્દ્રમાં દ્વિમુખી શાસન: કેન્દ્રીય સ્તરે આ પદ્ધતિ દાખલ કરાઈ.
- ફેડરલ કોર્ટ અને આરબીઆઈ (RBI): ૧૯૩૫ના કાયદા મુજબ જ ફેડરલ કોર્ટ (હાલની સુપ્રીમ કોર્ટ) અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ.
સ્થાનિક સ્વરાજ્ય અને નાગરિક સેવાઓ
- લોર્ડ રીપન: 'સ્થાનિક સ્વરાજ્યના પિતા' (Father of Local Self Government) ગણાય છે. તેમણે ૧૮૮૨ માં સ્થાનિક સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો.
- નાગરિક સેવાઓ (Civil Services): લોર્ડ કોર્નવોલિસને ભારતીય સિવિલ સર્વિસના જનક ગણવામાં આવે છે. ૧૮૫૩ માં સિવિલ સર્વિસ માટે લેખિત પરીક્ષાની શરૂઆત થઈ.
ન્યાયતંત્ર અને પોલિસતંત્ર
અંગ્રેજોએ ૧૮૬૦ માં 'ઇન્ડિયન પીનલ કોડ' (IPC) અને ૧૮૬૧ માં 'કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર' (CrPC) દાખલ કર્યા. લોર્ડ મેકોલે એ ભારતીય કાયદાઓના સંહિતાકરણ (Codification) માં મહત્વનો ફાળો આપ્યો હતો.