કટોકટીનો પરિચય અને બંધારણીય સ્થાન
ભારતીય બંધારણના ભાગ-18 માં (અનુચ્છેદ 352 થી 360) 'કટોકટી' (Emergency) અંગેની જોગવાઈઓ કરવામાં આવી છે. આ જોગવાઈઓનો મુખ્ય હેતુ ભારતની સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવાનો છે.
કટોકટીના સમયમાં ભારતનું સંઘીય (Federal) માળખું 'એકાત્મક' (Unitary) માળખામાં ફેરવાઈ જાય છે. આ વિચાર જર્મનીના વાઈમર બંધારણ (Weimar Constitution) અને ભારત શાસન અધિનિયમ 1935 માંથી લેવામાં આવ્યો છે.
1. રાષ્ટ્રીય કટોકટી (National Emergency) - અનુચ્છેદ 352
જ્યારે યુદ્ધ, બાહ્ય આક્રમણ અથવા સશસ્ત્ર બળવા (Armed Rebellion) ના કારણે ભારતની સુરક્ષા જોખમમાં હોય, ત્યારે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે છે.
- સશસ્ત્ર બળવો: 44મા સુધારા (1978) દ્વારા 'આંતરિક અશાંતિ' (Internal Disturbance) શબ્દને બદલે 'સશસ્ત્ર બળવો' શબ્દ ઉમેરવામાં આવ્યો.
- જાહેરાત માટે શરત: કેબિનેટની 'લેખિત' સલાહ અનિવાર્ય છે.
- સંસદની મંજૂરી: જાહેરાત થયાના 1 મહિનામાં સંસદના બંને ગૃહો દ્વારા 'વિશેષ બહુમતી' થી મંજૂર થવી જોઈએ.
- અસરો: અનુચ્છેદ 19 આપોઆપ મોકૂફ થાય છે (Art 358). અન્ય મૂળભૂત અધિકારો રાષ્ટ્રપતિના આદેશથી મોકૂફ કરી શકાય છે (Art 359).
નોંધ: અનુચ્છેદ 20 અને 21 કોઈપણ કાળે મોકૂફ કરી શકાતા નથી.
2. રાષ્ટ્રપતિ શાસન (President's Rule) - અનુચ્છેદ 356
જ્યારે કોઈ રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જાય અને રાજ્યપાલના અહેવાલથી રાષ્ટ્રપતિને ખાતરી થાય, ત્યારે તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે.
- સમયગાળો: એકવાર મંજૂર થયા પછી 6 મહિના સુધી ચાલે. સંસદની મંજૂરીથી તેને મહત્તમ 3 વર્ષ સુધી વધારી શકાય છે.
- મંજૂરી: જાહેરાતના 2 મહિનામાં સંસદ દ્વારા 'સાદી બહુમતી' થી મંજૂર થવી જોઈએ.
- ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન: અત્યાર સુધી ગુજરાતમાં કુલ 5 વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે (સૌપ્રથમ 1971 માં).
- એસ.આર. બોમ્માઈ કેસ (1994): આ કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે રાષ્ટ્રપતિ શાસનનો ન્યાયિક પુનરાવલોકન (Judicial Review) થઈ શકે છે.
3. નાણાકીય કટોકટી (Financial Emergency) - અનુચ્છેદ 360
જ્યારે ભારતની નાણાકીય સ્થિરતા અથવા શાખ જોખમમાં હોય, ત્યારે રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટી જાહેર કરી શકે છે.
- આ કટોકટી દરમિયાન સરકારી કર્મચારીઓ અને જજોના પગાર/ભથ્થા ઘટાડી શકાય છે.
- સૌથી મહત્વનો મુદ્દો: ભારતમાં અત્યાર સુધી ક્યારેય નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવી નથી (1991 માં પણ નહીં).
કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારો પર અસર
- અનુચ્છેદ 358: રાષ્ટ્રીય કટોકટી લાદતાની સાથે જ અનુચ્છેદ 19 હેઠળના 6 સ્વતંત્રતાના અધિકારો આપોઆપ મોકૂફ થઈ જાય છે.
- અનુચ્છેદ 359: આ અંતર્ગત રાષ્ટ્રપતિ આદેશ આપીને અન્ય મૂળભૂત અધિકારોના અમલીકરણ માટે કોર્ટમાં જવાનો અધિકાર અટકાવી શકે છે.
- અપવાદ: 44મા બંધારણીય સુધારા (1978) મુજબ, અનુચ્છેદ 20 (અપરાધ માટે દોષસિદ્ધિ) અને અનુચ્છેદ 21 (જીવવાનો અધિકાર) ક્યારેય છીનવી શકાતા નથી.